Nation 1 News
હેલ્થ

દલિત અસ્મિતા સંમ્મેલન ન યોજાય તે માટે કોણ લગાવી રહ્યું છે જોર  ! 

દલિતો પર થયેલા હુમલાના વિરોધમાં 19મીએ દલિત અસ્મિતા સમ્મેલન યોજવાની જાહેરાત કેટલીક દલિત સંસ્થાઓએ કરી છે,તો બીજી બાજુ ભારતિય જનતા પાર્ટીએ આ કાર્યક્રમ ન યોજાય તેના માટે એડીચોટીનું જોર લગાવી દીધું હોવાનું સુત્રો કહી રહ્યા છે, સુત્રોની માનીએ તો જે જે રીતે રાજ્યમાં દલિતો ઉપર અત્યારના ઘટનાઓ બની રહી છે,તેનાથી દલિત સમાજ ભાજપથી નારાજ છે.

વરધોડા અત્યાચાર લડત સમિતીએ 19 જુને અમદાવાદ જિલ્લાના ડાંગરવામાં દલિત અસ્મિતા મહા સમ્મેલનનુ આયોજન કર્યુ છે, જેમાં ભરત પરમાર,શાંતા બેન શેનમા, કિરીટ ભાઇ રાઠોડ, જગદીશ ભાઇ પરમાર,કનુભાઇ સુમેસરા,જેવા અનુસુચિત જાતીના ગુજરાતના આગેવાનો ઉપસ્થિત રહેશે, આ સમ્મેલન દરમિયાન ત્રણ ઠરાવ પસાર કરવામાં આવશે,

પત્રિકા

દલિતો ઉપરના અત્યાચાર રોકવા માટે એક મહિનાની અંદર માસ્ટર પ્લાન જાહેર કરે
ગુજરાતના મુખ્યમંત્રી દલિતો ઉપરના અત્યાચાર રોકવા માટે એક મહિનાની અંદર માસ્ટર પ્લાન જાહેર કરે,રાજ્ય સરકાર આ પ્લાન જાહેર કરવામા નિષ્ફળ નિવડશે તો ગુજરાતમાં
આભડછેટ અશ્વમેધ યાત્રાનુ આયોજન કરવામા આવશે.ઘોડા ઉપર વિરાજમાન દલિત બાળકોની આ યાત્રા રાજ્યના એવા તમામ ગામોમાં જશે જે ગામોમાં દલિતો ઉપર અત્યાર થયા છે, એ જોવા માટે ડોક્ટર ભીમરાવ આમ્બેડર રચિત ભારતના બંધારણ અને એમાં નાગરિકોને આપેલ સમાનતાના અધિકારોને કોણ પડકારે છે
જે પણ જગ્યાએ પાટોત્સવ હોય, સમુહભોજન ,, જ્યાં દલિતો માટે ભેદ ભાવ જનક વ્યવસ્થા હશે ત્યાં તેનો બહિષ્કાર કરાશે,

દલિતો ઉપર આવા અત્યાચાર કરનાર લોકોને સરકાર અતિ પછાત જાહેર કરે
દલિતો ઉપર આવા અત્યાચાર કરનાર લોકોને ગુજરાત સરકાર અતિ પછાત જાહેર કરે,,અને તેમના માટે આર્થિક, શૈક્ષણિક, માનસિક વિકાસ માટેની ખાસ યોજના બનાવે છે
વરધોડા અત્યાચાર લડત સમિતીના સમ્મેલનની જાહેરાત બાદ ગુજરાત ભાજપ અનુસુચિત જાતિ મોર્ચના હોદ્દેદારો સમાજીક સમરસતા મંચ અને સંધના પ્રચારક પણ ડાંગરવા મુકાવે ડેમેજ કંટ્રોલ માટે પહોચ્યા હતા.

રાજ્ય સરકારમાં પણ રજુઆત કરાશે તેવી ખાતરી આપી હતી
જેમાં પ્રદેશ ભાજપ મહામંત્રી(એસસી) વિક્રમ ચૌહાણ, મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રહલાદ પરમાર,ધિરજ રાઠોડ, સામાજીક સમરસતા મંચના સંયોજક વિજય ઝાલા, સમાજીક સમરસતા મંચ ગતિવિધીના પ્રાંત પ્રચારક યોગેશ પારેખ સહિતના આગેવાનો ડાંગરવા પહોચ્યા હતા,,અને ગામમાં શાંતિ મય વાતારવણ બને જાતિ જાતિ વચ્ચેનો સંધર્ષ ઘટે તે માટે અલગ અલગ સમાજના આગેવાનો સાથે બેઠક યોજી, ચર્ચા વિમર્શ કર્યા હતા, અને ગામમાં ભવિષ્યમા આ પ્રકારની ઘટનાઓ ન બનેતે માટે જવાબદાર લોકો સામે પગલા લેવા બાબતે રાજ્ય સરકારમાં પણ રજુઆત કરાશે તેવી ખાતરી આપી હતી.

ગાંધીનગરમાં મહાસમ્મેલન યોજવામાં આવશે

આગામી સમયમાં રાજ્યમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રોહિત સમાજને રાજકીય રીતે થઇ રહેલા અન્યાયને લઇને ગાંધીનગરમાં મહાસમ્મેલન યોજવામાં આવશે.

 

 

Related posts

ઉનાળામાં તમારી સ્કિન ચમકતી રાખવી છે તો શું કરવું પહેલા આ વાંચી લો..

Admin

અમદાવાદના ડોક્ટરના ગાયનેક કેન્સર અને બાઉલ એન્ડોમેટ્રીઓસીસ અંગેના બે અભ્યાસ આંતરરાષ્ટ્રિય જર્નલ્સમાં પ્રસિધ્ધ

Admin

આંખો આવે તો શું કરવું…પહેલા આ વાંચી લો નહીં તો આંખો ગઇ કામથી….

Admin

Leave a Comment