સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા અને તેના મહત્વને ઉજાગર કરવા માટે વિવિધ સંસ્થાઓ સતત પ્રયત્નશીલ રહે છે. આવો જ એક પ્રશંસનીય પ્રયાસ પૂર્વાચલ માનવ વિકાસ પરિષદ દ્વારા કરવામાં આવ્યો. સંસ્થા દ્વારા ‘ઈમ્પોર્ટન્સ ઓફ એજ્યુકેશન’ વિષય પર એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જોઈએ આ વિશેષ અહેવાલમાં…

પૂર્વાચલ માનવ વિકાસ પરિષદ દ્વારા આજરોજ શિક્ષણના મહત્વને સમજાવતો એક ભવ્ય અને પ્રેરણાદાયક કાર્યક્રમ ઓઢવ રીંગરોડ હોટલ ફ્લોરા ખાતે યોજાયો. ‘ઈમ્પોર્ટન્સ ઓફ એજ્યુકેશન’ (શિક્ષણનું મહત્વ) થીમ પર યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ અને મહાનુભાવો એક મંચ પર એકઠા થયા હતા.

કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને માર્ગદર્શન આપવા માટે ખાસ ગેસ્ટ સ્પીકર્સને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં:
ઉન્મેશ દીક્ષિત (એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, AMA – અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન)
જયેશ વેગડા(ડેપ્યુટી ચીફ વોર્ડન, સિવિલ ડિફેન્સ અમદાવાદ)
કલ્યાણસિંહ ચંપાવત
આ તમામ દિગ્ગજોએ પોતાના વક્તવ્ય થકી યુવા પેઢી અને વાલીઓને જીવનમાં શિક્ષણના મૂલ્ય, કારકિર્દી ઘડતર અને સમાજ નિર્માણમાં શિક્ષણના યોગદાન વિશે સચોટ માહિતી પૂરી પાડી હતી.

આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા પાછળ આયોજકોની ભારે મહેનત જોવા મળી. સમગ્ર કાર્યક્રમનું અત્યંત સુંદર અને સફળ સંચાલન ડો. સુરેન્દ્રપાલસિંહ ગૌતમ અને અવિનાશ ગૌતમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વક્તાઓના વિચારોથી લાભાન્વિત થયા હતા.
સમાજના ઉત્થાન માટે શિક્ષણ એ સૌથી મોટું શસ્ત્ર છે, અને પૂર્વાચલ માનવ વિકાસ પરિષદનો આ કાર્યક્રમ તે દિશામાં એક સાર્થક કદમ બની રહ્યો.
